SBI Sishu Mudra Loan Yojana: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે લોન લેવા વિશે વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે કોઈપણ પ્રકારની ગેરંટી વગર ₹50,000 સુધીના લોન લઈ શકો છો. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ એસબીઆઇ બેન્ક શિશુ, કિશોર અને તરુણ ત્રણ ભાગોમાં લોન આપવામાં આવે છે. અને આ ત્રણ ભાગોમાં એક શિશુ મુદ્રા લોન છે જેમાં નાના વ્યવસાય કરતાં નાગરિકોને લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ તમે પોતાના વ્યવસાય ને આગળ વધારવા માટે લોન મેળવી શકો છો.
SBI Sishu Mudra Loan Yojana
જણાવી દઈએ કે કેન્દ્રીય સરકાર દ્વારા 8 એપ્રિલ 2015 ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ તમામ વ્યવસાય કરતાં નાગરિકોને તેમના વ્યવસાય ને આગળ વધારવા માટે અથવા તો નવો વ્યવસાય શરૂ કરવા માટે કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ એસબીઆઇ બેન્ક દ્વારા બિઝનેસ કરવા માટે શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણ ભાગોમાં લોન લેવાની સુવિધા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ વ્યવસાય કરનાર નાગરિકોને પોતાનો બિઝનેસ મુજબ ₹10,00,000 સુધીની રકમ આપવામાં આવે છે. તમે પણ પોતાનો વ્યવસાય આગળ વધારવા માટે અથવા તો નવો વ્યવસાય શરૂ કરવા માટે આ યોજના દ્વારા લોન લઈ શકો છો.
એસબીઆઈ શિશુ મુદ્રા લોન યોજના | SBI Sishu Mudra Loan Yojana
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ sbi શિશુ મુદ્રા લોન યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. તમે આ યોજનાની સહાયતાથી પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે અથવા તો પોતાના જૂના વ્યવસાય ને આગળ વધારવા માટે રૂપિયા 50,000 સુધીની લોન લઈ શકો છો જે તમને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર મળશે અને તેમાં તમને ચૂકવવા માટે 60 મહિનાનો સમય મળશે.
જો તમે પણ પોતાના બિઝનેસ ને આગળ વધારવા માંગો છો અથવા તો પોતાનો એક નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો. તો તમે આ યોજનામાં અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનામાં તમને મહત્તમ પાંચ વર્ષની સમય મર્યાદા સુધી લોનની રકમ આપવામાં આવે છે.
એસબીઆઈ શિશુ મુદ્રા લોન માટે યોગ્યતા માપદંડ | SBI Sishu Mudra Loan Yojana
- આ યોજનામાં અરજી કરવા માટે નવો વ્યવસાય કરનાર અથવા તો નાનો વ્યવસાય ચલાવનાર નાગરિક પાત્રતા ધરાવે છે.
- આ યોજનાનો લાભ લેવા અરજી કરવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી ૬૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિને પોતાનો બિઝનેસ હોવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ આ લોન ફક્ત રજીસ્ટ્રેશન એપ્લિકેશન ફોર્મ પર જ મેળવી શકે છે.
- રજીસ્ટ્રેશન કરેલ બિઝનેસ ઓછામાં ઓછા ત્રણ વર્ષ જૂનો હોવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ પાસે વર્તમાન સમય સુધીનો જીએસટી રિટર્ન નો રેકોર્ડ હોવો જોઈએ.
એસબીઆઇ મુદ્રા લોન લેવા અરજી પ્રક્રિયા
- Sbi શિશુ મુદ્રા લોન યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે પોતાની નજીકની એસબીઆઇ બેન્ક ની શાખામાં જવાનું રહેશે.
- બેંકની શાખામાં ગયા પછી તમારે આ યોજના વિશે બેંકના અધિકારીઓ પાસે જાણકારી મેળવવાની રહેશે.
- તેના પછી તમારે બેંક દ્વારા આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ મેળવવાનું રહેશે.
- ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
- એની સાથે આ એપ્લિકેશન ફોર્મ માં પૂછવામાં આવેલા જરૂરી તમામ દસ્તાવેજો અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અટેચ કરવાનો રહેશે.
- છેલ્લે તમારે આ એપ્લિકેશન ફોર્મ બેંકના અધિકારી પાસે જમા કરાવવાનું છે.
- હવે બેંક દ્વારા તમારા તમામ દસ્તાવેજોની વેરિફિકેશન કરવામાં આવશે અને તમામ માહિતી સાચી હશે તો તે સ્વીકારવામાં આવશે.
- તેના પછી લોન ની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.